Friday, February 26, 2016

સમીક્ષા

આસ્થા અને અસ્મિતાની ગાથા

નવલકથાકાર કાન્તિલાલ પરમાર પાસેથી આપણને આ પહેલી  નવલકથા ‘ગેબીટીંબો’ મળે છે. આ નવલકથા કુલ વીસ પ્રકરણમાં વિસ્તરે છે. આ નવલકથાનો વાર્તાપ્રવાહ રસાત્મક રીતે સળંગ સૂત્રતાએ ચાલે છે. કથામાં લેખકે અનુભવેલી જીવનની તડકી-છાંયડીનું પ્રતિબિંબ પણ  ઝીલાયું છે.
પ્રસ્તુત નવલકથામાં લેખકે યુગોથી વ્યાપેલી જાતિગત અસમાનતા એવી  સવર્ણો અને દલિતો વચ્ચેની ખાઇને  પૂરવાનો પ્રયત્ન કર્યો  છે. આ નવલકથાનો વિસ્તાર દેવયાની ગામથી આરંભાઇ અમેરિકા અને અફઘાનિસ્તાન સુધી વિસ્તરે છે. નવલકથામાં મુખ્યત્વે ત્રણ સમાજ ચર્ચાયા છે. એક દલિત સમાજ, ઠાકોર સમાજ, અને પટેલ સમાજનો અછડતો ઉલ્લેખ  પણ થયો છે. એ અહીં ગૌણ છે. આ ઉપરાંત મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતું પાત્ર પોલીસ ઇન્સપેક્ટર ખાન સાહેબનું મળે છે.
‘ગેબીટીંબો’ નવલકથામાં મુખ્ય બે પાત્રો છે. વાર્તાનાયક આકાશ અને વાર્તાનાયિકા સ્વાતિ આકાશ એદલિત કુટુંબમાંથી આવે છે. જે સમગ્ર દલિત સમાજનું પ્રતિનિધિત્વ કરતું પાત્ર છે. આ પાત્રની મુખ્ય વિશેષતા એ છે કે ખૂબ જ હોંશિયાર, ગંભીર અને સમજું છે. જે સમગ્ર નવલકથાના પ્રવાહને વેગવંતો કરી મૂકે છે.
નવલકથાનું બીજું મુખ્ય પાત્ર વાર્તાનાયિકા સ્વાતિનું છે. સ્વાતિ એક સવર્ણ કુટુંબમાંથી આવે છે. તેની સાથે આકાશની નિર્મળ મૈત્રી બંધાય છે. અને વાર્તાનાયક આકાશના પાત્રની ગરિમા જળવાય તે મુજબ વર્તે છે. પ્રસ્તુત નવલકથામાં વાર્તાનાયકના પાત્ર કરતાં વાર્તાનાયિકાનું પાત્ર મૂઠી ઊંચેરું બની રહે છે. તેની પાસે ધન-દોલતની, સુખ-સગવડની કોઇપણ વાતની કમી હરપળ મુશ્કેલીઓ અને મુસીબતોનો જ સામનો કરવો પડે છે. છતાં તેનું નિષ્કલંક ચારિત્ર્યબળ ઉત્તમ કોટિનું પુરવાર થાય છે.
આ નવલકથામાં વાર્તાનાયક આકાશ એના દલિતપણાની કુંઠાથી પીડાય છે. વાર્તાનાયક એ દલિત સમાજમાંથી આવતો હોવા છતાં તે સમગ્ર માનવજાતની સેવા કરે છે તેમ છતાં તેના જીવનમાં પારાવાર મુશ્કેલીઓ આવે છે તેનાથી જ નવો માર્ગ સૂઝે છે.
નવલકથામાં અન્ય ગૌણ પાત્રો પણ એટલા જ મહત્વનાં છે. જેમાં ગામના સરપંચ ચંદુજી, ખાનાસાહેબ, ધનકી, નટવર, ચંદ્રકાન્ત, કરતારસિંગ, ઝાલાસાહેબ, જયેશ-પમ્મી વગેરે પાત્રો દ્વારા વાર્તાપ્રવાહ ગતિશીલ બની રહે છે.
આ ઉપરાંત વાર્તાનાયક આકાશની માતા મણિનું પાત્ર એ નવલકથામાં વાર્તાનાયિકા સ્વાતિ પછીનું બીજું મહત્વનું પાત્ર નવલકથામાં ખલનાયકના પાત્ર તરીકે મંગાજી અ પ્રતાપસંગનું પાત્ર ઉપસી આવે છે. આ બંને પાત્રોની ભૂમિકા મહત્વની છે. એક ખૂંખાર, જનવાણી-ગ્રામીણ સંસ્કાર ધરાવતા માણસને સમય જ સત્ય સમજાવે છે. કદાચ ચંદુજીના પાત્ર દ્વારા લેખક આ જ સંદેશ પાઠવવા માગે છે. તે છે આસ્થા અને કાળદેવતા પર ટકેલી શ્રદ્ધા છે.
નવલકથાની ભાષા શૈલી ખૂબ જ અગત્યનું અંગ છે. પ્રસ્તુત નવલકથાશિષ્ટ ભાષામાં લખાઇ છે. છતાં સમગ્ર નવલકથાના વાર્તાપ્રવાહમાં સંખ્યાબંધ રૂઢિપ્રયોગ, તળપદા શબ્દો સહજ રીતે આવી ગયા છે. નવલકથાના સંવાદો સચોટ રીતે આલેખાયા છે. જેનાથી નવલકથાના પાત્રો ઉઘાડ પામે છે. ‘ગેબીટીંબો’ નવલકથામાં દેવયાની ગામનું ગ્રામ્ય વાતાવરણ અને અમદાવાદ શહેરની ચાલી, સીવીલ હોસ્પિટલનું વાતાવરણ તાદ્રશ્ય થાય છે. આ ઉપરાંત પશ્ચિમી સંસ્કૃતિના પરિવેશનો અછડતો ખ્યાલ આવે છે.
આ નવલકથામાં દેવયાની ગામના દલિત વાસમાં રહેતા લોકોની રોજિંદી મુશ્કેલીઓ અને તેમના સામાજિક દરજ્જાનો ખ્યાલ આવે છે. તે જ ગામમાં સવર્ણોમાં ઠાકોર સામાજિક સ્થિતિ અને તેમની આનુવંશિક ખુમારીનાં લક્ષણોનો પરિચય થાય છે. સાથોસાથ વાર્તાનાયિકા સ્વાતિના પરિવારની દાન-પૂણ્યની ભાવનાનાં દર્શન થાય છે.
પ્રસ્તુત નવલકથામાં પ્રવાહમાં વચ્ચે વચ્ચે ધટના-પ્રસંગ બનતા જાય છે. તેમાં ધ્યાનસ્થ ઘટનાઓ કેટલીક છે. જેમાં ધનકીને આબરૂં લુંટાઇ તે, નાયકના સાથી મગનની દુર્દશાનું ચિત્ર, સ્વાતિની ગ્રામસભાનું સંબોધન, આકાશના પિતાના મૃત્યુની ઘટના વગેરે ઘટના પ્રસંગ ચિંતા અને ચિંતન કરાવે તેવા છે.
‘ગેબીટીંબો’ નવલકથા પરંપરાગત દલિત સાહિત્ય કરતાં નવો ચિલો ચાતરતી કૃતિ છે. આ કૃતિમાં સર્જકનો અભિગમ સમન્વયકારી અને વિધેયાત્મક રહ્યો છે. એથી અન્ય દલિત સાહિતકારો જેવી આક્રમકતા આ કૃતિમાં વરતાતી નથી પણ દલિતોનાં દુઃખ અને તેમની વેદના-સંવેદના સર્જકકર્મ અનુભવે છે. આ કૃતિનો કથાનાયક એ જ દર્દની દાસ્તાન કથે છે. પણ એનો દ્રષ્ટિકણો વિધેયાત્મક છે.
ગુજરાતી સાહિત્યમાં ખળભળાટ મચાવી મુકનાર દલિત સાહિત્ય કરતાં અહીં કશુંક જુદું નવું અને આસ્વાધ્ય, રુચિકર સર્જન ઉપલબ્ધ થયું છે. એમાં સંઘર્ષની લગોલગ સમાધાન છે. જે વાર્તાનાયક આકાશના વ્યક્તિત્વમા વણાય ગયેલ છે. આ કૃતિમાં વાર્તાનાયિકા સ્વાતિનું પાત્ર ગુજરાતી સાહિત્યની નાયિકાઓની હરોળમાં આવી શકે તેવું આશાસ્પદ પાત્ર છે. સર્જકની શ્રદ્ધા ‘સ્વ’ ને  ‘સમષ્ટિ’ માં ફેરવવાની છે.
‘ગેબીટીંબો’ નવલકથામાં ગંભીર ચિંતનાત્મક અને સમાજલક્ષી મનોમંથનનું વસ્તુ છે. લેખકે દલિત એમાંય ચમાર જ્ઞાતિની વારસાગત નિર્બળતાનો તાદ્રશ ચિતાર આપ્યો છે. એટલે જ આ નવલકથા સમૃદ્ધ સામાજિક નવલકથા બની શકી છે. સમગ્ર નવલકથામાં પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણની સરવાણી વહેતી અનુભવાય છે. પ્રસ્તુત નવલકથાની એક મર્યાદા જણાય છે તે અંતે સ્વાતિનું ગામ લોકો દ્વારા બહુમાન એક દિવસ આકાશનું વિશ્વસંઘ દ્વારા આમંત્રણનું પ્રસ્થાન અને 26મી જાન્યુઆરીના દિવસ આ ત્રણેય બાબત વાચકને ખૂંચે તેવી છે. પણ કોઇક નવા જ સંદર્ભ પણ છુપાયેલો છે તે વિશ્વદર્શન, મનુષ્યની આઝાદી એ બે સંદર્ભે સંકેત આપે છે.
આમ, આ નવલકથા એક સમન્વય કથા બની રહે છે. આ એક જ કથામાં એકાધિક ઉપકથાઓ ગૂંથીને લેખકે બહોળા ફલક પર વિસ્તરની મોટો ત્રિપરિમાણી પુરુષાર્થ કર્યો છે. આ નવલકથા દલિત સમાજના સચોટ દસ્તાવેજી અહેવાલ બની રહે છે. જે વાચકને પ્રણયકથા લેખે પણ વાંચવી અને વાગોળવી ગમે એવી કૃતિ બને છે. લેખકે દલિત સમાજનો ઝીણવટભર્યો અભ્યાસ, અવલોકન અને દલિત-સમસ્યાના સ્વાનુભાવનો નિચોડ આપવાનો શુભ સંકલ્પ આ નવલકથાથી કર્યો છે. ‘ગેબીટીંબો’ ખરે જ આપણી ભીતર જીવતા વાચકને ગમી જાય એવી સફળ રસપ્રત નવલકથા છે.


નર્મ, મર્મ હાસ્યની છોળો ઉડાડતી નિબંધિકાઓ
ગુજરાતી ભાષા સાહિત્યમાં શ્રી મુધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’ હાસ્યલેખન, વિવેચન, સંપાદન અને અનુવાદ વગેરે જેવા ક્ષેત્રોમાં એમનું પ્રદાન રહ્યું છે. ગુજરાતી હાસ્ય સાહિત્ય ક્ષેત્રે જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટની સાથે શ્રી મધુસૂદન પારેખનું નામ હાસ્ય લેખક તરીકે મૂકી શકાય. શ્રી મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’ એ હળવા નિબંધોની સાથોસાથ નિબંધિકાઓના સંગ્રહો પણ આપ્યા છે. ‘સૂડી સોપારી’,  ‘વિવોદાયન’, ‘હાસ્યદેવાય નમઃ’, ‘પ્રિયદર્શીની હાસ્યલીલા’ વગેરે નિબંધિકાઓના સંગ્રહો મળે છે. ‘પ્રિયદર્શીની નિબંધિકાઓમાં’ એમાં એક વધુ ઉમેરણ છે.
 ‘પ્રિયદર્શીની નિબંધિકાઓમાં’ 39 જેટલી નિબંધિકાઓનો સમાવેશ થયેલા છે. આ સંગ્રહમાં ‘શ્રીમતીનું સમાજસેવા મંડળ’ થી શરૂ કરી ‘આખરે હું લેખક થયો ખરો !’ ત્યાં સુધીની નિબંધિકાઓની સફરમાં તેમણે નર્મ-મર્મ એમ બંને પ્રકારની હાસ્યની છોળો ઉડાડી છે.
‘શ્રીમતીનું સમાજસેવા મંડળ’ એ નિબંધમાં સ્ત્રીઓ સમાજસેવા કરે છે. પરંતુ એમના જ ઘરનું કામ નથી કરતી, અને પુરુષોને ઘરના નોકરની જેવા હાલ કરે છે. એ કેવી સમાજસેવા છે ? પ્રસ્તુત નિબંધમાં વર્તમાન પરિસ્થિતિનો ચિતાર મળે છે. સાથોસાથ લેખકે આધુનિક વિચારસરણી ધરાવતી સમાજસેવા મંડળોમાં વ્યસ્ત સ્ત્રીઓ પર માર્મિક વ્યંગ કર્યો છે. અન્ય એક નિબંધમાં શીલાના મિત્રની કફોળી સ્થિતિનું વર્ણન થયું છે. જેના દ્વારા લેખક વાચકને પેટ પકડીને હસાવે તેવી રમૂજ રજૂ કરી છે.
‘અમારા બાબાના લગ્નનું આલબમ તો જુઓ !’ એ નિબંધિકામાં વીરુભાઇને તેમના સંબંધી એમનાં બાબાના લગ્નનો આલબમ બતાવે છે. દરેક ફોટાનો પરિચય અને એની પ્રશંસા કરે છે. સાથોસાથ વિવેચન કરે છે. આ પ્રસંગમાં વીરુભાઇની હાલત પર વાચકને દયા આવી જાય તેવી છે. તેમની કપરી સ્થિતિમાંથી જન્મતું હળવું હાસ્ય પ્રગટે છે. લેખકે અહીં પ્રશંસા ભૂખ્યા મામસો પર હળવો માર્મિક વ્યંગ કર્યો છે.
‘તમે અમેરિકા જવાના છો ? ત્યારે....’ એ નિબંધિકામાં અમેરિકા જતા વ્યક્તિને સગાસંબંધીઓ તરફથી કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે આ નિબંધમાંથી ફોઇબા, મામા અને બનેવીના કામોક માગણી પરથી જણાય છે. માણસ અમેરિકા જતા પહેલાં કેન્સલ કરી નાખે તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ જાય છે. અહીં હળવું હાસ્ય પ્રગટે છે. ‘મંદિરમાં બૂટ-ચંપલની બબાલ’ એ નિબંધિકામાં ભગવાનનાં દર્શન માટે મંદિર બહાર બૂટ-ચંપલ કાઢવાની રામાયણ સર્જાય છે. તેમાં પત્નીનો કરકસરિયો સ્વભાવ પ્રગટે ચે. પત્નીનાં ચંપલ સાચવવા પતિ મંદિર બહાર બેસે છે. ત્યાં અન્ય એક પરિચિત સ્ત્રી ચંપલ મૂકીને દર્શન કરવા જાય છે. એ પછી સ્ત્રી-સ્ત્રી વચ્ચેનો આદરભાવ કેટલો હોય છે. તેનાં દર્શન લેખક વ્યંગ્યાત્મક રૂપમાં પ્રગટ કરે છે. અન્ય એક નિબંધિકામાં રીટાયર્ડ પતિને એની પત્ની ઉપાધિ સમજે છે.
‘’બધું હપ્તે-હપતે એ નિબંધિકામાં ધનીરામ જેવા મામસો સમાજમાં ઘણા છે. જે પોતાની દીકરીનાં લગ્ન પણ હપતે-હપતે કરે છે. ઘરે ઉઘરાણી આવે તો તેને પણ વાયદો આપવામાં હોંશિયાર છે. અહીં ચાર્વાકમુનિનો એક શ્લોક યાદ આવે છે કે ‘ઋણ’ કૃત્વા ધૃતપી બને ? ધનીરામ દેવું કરીનેય ઘી પીવું એવું માનનારા ફિલસૂફ છે. આ નિબંધનો વિષય નાવિન્યતાથી રજૂ કર્યા છે. જે વાચકને આનંદ આપે છે.
‘મફત મેળવવાની મઝા’માં આપણા લોકો છાપું પણ મફત વાંચે છે. પછી પુસ્તકો તો કોણ ખરીદીને વાંચે. આ નિબંધમાં મફતમાં છાપું વાંચવાનું અને પછી રાખવાની અહીં મફતનું લેવાવાળા લોકોનાં વ્યક્તિત્વનો પરિચય મળે છે. ‘ઉનાળાની એક યાદગાર બપોર’ માં ઉનાળાની બપોરનાં વિવિધ સ્વરૂપ, પંડિત અને મહારાજ જેવા શબ્દોનો વિનિપાત થયો છે. એનો અહીં નિર્દેશ છે. આ ઉપરાંત કાકા સાહેબ કાલેલકર અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની એક યાદગાર મુલાકાતમાં વિનોદ પ્રગટે છે. ‘એક રાજકીય નેતાના ઉપવાસ’ એ પ્રસંગમાં વિરોધ પક્ષના નેતા સરકાર સામે ખેડૂતો માટે ઉપવાસ કરે છે. પરંતુ નેતાજીના આ ઉપવાસની અસર કોઇને ખાસ થઇ નહીં. અહીં નેતાની સ્થિતિનો ચિતાર આપ્યો છે. જેમાં વર્તમાન રાજકારણમાં દંભી નેતાઓ પોતાની પબ્લિસીટી કરવા માટે કેવા નુસખા અજમાવે છે. તેના પર વૈધક કટાક્ષ કર્યો છે. ‘અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યુ દીસે’ એ પંક્તિના શીર્ષકને આ નિબંધિકામાં દાસકાકા અને આન્ટીના જીવન દ્વારા સાર્થક થાય છે. એમના જીવનમાં મઝા જ કરવી એવો એમનો સિદ્ધાંત છે. આ દંપતિ અબાલવૃદ્ધને શરમાવે તેવી સ્ફૂર્તિથી સુંદર જીવન જીવે છે. કવિ શ્રી કલાપીની ઉપર્યુક્ત પંક્તિ યથાર્થ છે.
‘એક ભિખારીનો ઇન્ટરવ્યુ’માં ભિકારીના વ્યવસાયમાં હવાલદારને હપતો આપવો પડે છે. આપણા સમાજમાં હપતો આપવાની લેવાની પ્રથા ઘર કરી ગઇ છે. ભિખારીઓના ઇન્કમટેક્ષ ઓફિસર હવાલદાર. આ ભિખારી અંગ્રેજીમાં બોલીને ભિખ માગે છે. એને પૂછવામાં આવ્યું કે તું અંગ્રેજી જાણે છે તો એણે કહ્યું કે ઇમ્પ્રેશન પાડવા, વ્યવસાયમાં ટકી રહેવા માટે અંગ્રેજી થોડું શીખી ગયો છું. મારી પત્ની આંધળીનો રોલ કરી ભિખ માંગે છે. ભિખારી દંપતિના નામ અદભૂત છે. ‘કબીર’ અને ‘લખમી’ નામ થતાં ભિખારી છે. આ નિબંધમાં લેખકે વાચકને હાસ્યરસના કુંડમાં સ્નાન કરાવી દે છે, અને વર્તમાન ભિખારીઓની સ્થિતિનો ચિતાર પણ આપે છે.
આ નિબંધિકાઓના સંગ્રહમાં ‘પેટ તે જ શ્રેષ્ઠ’ માં પેટના મૂલ્ય અને તેનો આધાર સર્વ અંગોમાં મહત્વનો છે. જ્યારે રેલવે મુસાફરીની રોચક વાત ‘રાત્રિ ટ્રેનની મુસાફરી: એક અનુભવ’ નિબંધમાં નિરૂપાઇ છે. અન્ય એક નિબંધમાં સત્તા-ખુરશીના પૂજારીઓ કેટલી હદ સુધી જાય છે. તેનો ચિતાર મળે છે. જેમાં વર્તમાન રાજકારણમાં ધર્મના નામે ગોરખધંધા ચાલે છે. તેનો નિર્દેશ કર્યો છે.
‘ગુર-શિષ્યની બોધકકથા’ નિબંધમાં ભોલારામ પોતાના ગુરુ સ્વામી ધૂર્તાનંદસ્વામી પાસે આશીર્વાદ લેવા જાય ત્યારે ભોલારામે પોતાના ગુરુ પાસે રાજકારણમાં પ્રવેશવાની વાત કરી છે. ગુરજી શિષ્યને રાજકારણના પાઠ ભણાવે છે. શિષ્ય પ્રધાનપદ મેળવી લે છે અને આશ્રમની જમીન રિંગરોડમાં કપાય છે ત્યારે ગુરુજી શિષ્ય પાસે જાય છે. પણ શિષ્ય ગુરુજીને કહે છે કે રાજકારણમાં વચનો આપવાના હોય પાળવાનાં હોતા નથી. અહીં ગુરુ-શિષ્ય જેવા પવિત્ર સંબંધમાં રાજકારણે પ્રવેસ કરી લીધો છે.
આ ઉપરાંત ‘અહીં કશું ખોવાનું નથી ને કશું જડતું નથી’ નિબંધમાં પુરુષોની દરેક વસ્તુ શોધવામાં પત્નીનો સહારો લે છે. ત્યારે જે સંવાદો થાય છે તેમાંથી હળવું હાસ્ય નિષ્પની થાય છે. અન્ય એક નિબંધમાં મનુષ્યની નિર્ણયશક્તિ કેટલી મકક્મ છે એની વાત કરી છે. ‘આખરે હું લેખક થયો ખરો !’ એ નિબંધમાં લેખક બની સાહિત્ય સેવા કરવી ઇન્ચનાર વ્યક્તિનાં વ્યક્તિત્વનાં દર્શન થાય છે. જેમાંથી એવાં લહિયો લેખક બને એવું માનનાર વર્ગ પરકટાક્ષ કર્યો છે.
આમ, આ સમગ્ર નિબંધિકાઓમાંથી શ્રી મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’ની કલમની તાજપ જણાય છે. હાસ્ય નિબંધિકાઓમાં એમનો વિનોદ ક્યારેય કટુ બનતો નથી. એમનું મૃદુ અને મિષ્ટ વિનોદ હાસ્ય આ નિબંધિકાઓમાંથી મળે છે. આ નિબંધિકાઓમાં મોટે ભાગે કૌટુંબિક તેમજ સામાજિક ઘટનાઓ દ્વારા વાચકોને હાસ્ય પીરસાયું છે. એમના હાસ્યને અબાલવૃદ્ધથી પીઢ સાહિત્યવિવેચકોએ બિરદાવ્યું છે. શ્રી મધુસૂદન પારેખે ‘પ્રિયદર્શી’ તખલ્લુસ આ નિબંધિકાઓ દ્વારા સાર્થક કર્યું છે. અને એમાં એમનું સૂક્ષ્મ વૈચારિક હાસ્ય સહૃદય વાચક-ભાવકોને હાસ્યરસથી તરબોળ કરી મૂકશે એવી અભ્યર્થના.


વાસ્તવાભિમુખ વાર્તાવિશ્વ : છેલ્લું ફરમાન

ઇવાડેવ ગુજરાતી સાહિત્યક્ષેત્રે જાણીતું નામ, તેમની પાસેથી ‘આગંતુક’, ‘તરંગિણીનું સ્વપ્ન’, ‘તહોમદાર’, ‘કાળરાક્ષસ’ વગેરે જેવા પાંચેક વાર્તાસંગ્રહો આ પહેલા મળી ચૂક્યા છે. જેમાં આ એક વધુ વાર્તાસંગ્રહ ‘છેલ્લું ફરમાન’ નામે મળ્યો છે. આ ઉપરાંત તેમની પાસેથી ‘ઇસુને ચરણે’, ‘પ્રેયસી’, ‘મિશ્રલોહી’ જેવી લધુનવલો પણ મળી છે. આ સંગ્રહની વાર્તાઓ આ પહેલાં કુમાર, અખંડઆનંદ, ચિત્રલેખા, પરબ વગેરે સામયિકોમાં પ્રગટ થઇ ચૂકી છે. ઇવાડેવની વાર્તાઓમાં જીવનના વિવિધ પ્રશ્નો કેન્દ્રમાં રહેલા જોવા મળે છે. જેમાં દામ્પત્યજીવન, સમાજ, કુટુંબ વગેરે જેવા પ્રશ્નો છે. આ વાર્તાસંગ્રહની કેટલીક વાર્તાઓમાં મધ્યમવર્ગના માનવીઓ, વર્તમાન સામાજિક પ્રશ્નો, ધાર્મિક-રાજકીય પ્રશ્નો તથા સ્ત્રીઓને લગતી સમસ્યાઓને વાર્તાઓમાં વણી લીધી છે. આ વાર્તાસંગ્રહમાં કુલ 23 વર્તાઓનો સમાવેશ થયેલો છે. જેમા ‘છેલ્લું ફરમાન’થી ‘નેણમાં નેહ હોય યે !’ ત્યાં સુધી વાર્તાપ્રવાહ વહેતો જાય છે. આ વાર્તાસંગ્રહમાં વાર્તાઓનાં શીર્ષકો વૈવિધ્યવાળા છે. તેમ વિષયવસ્તુ પણ વૈવિધ્યસભર છે.
‘છેલ્લું ફરમાન’ વાર્તામાં વાર્તાકાર ઇવાડેવની ભાષાશૈલી તથા સુંદર વર્ણનોથી વાર્તાને વેગ મળે છે. આ વાર્તામાં મધ્યમવર્ગીય શસાદ અને સલમાનની પ્રેમગોષ્ઠની આસપાસ આખીય વાર્તાનું ફલક વિસ્તરે છે. વાર્તામાં ગરીબીનું દારૂણ ચિત્ર રજૂ થયું છે. આ વાર્તાઓ દિલ્હીથી શરૂ થઇ બાંગ્લાદેશના ઢાકા શહેરનો એક નાના આંતરિયાળ ગામમાં પૂરી થાય છે. આ વૈશિવન્ક સંદર્ભ સર્જકે ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યો છે. આ બે દેશના બે મહત્વના શહેરોના સંદર્ભો બે સંસ્કૃતિનો પરિચય આપે છે. આ વાર્તામાં વાર્તાગાયિકા શમશાદની અત્યંત દયનીય સ્થિતિ સમગ્ર નારી જાતિની સામાજિક નિખાલસ-નિર્મળ અને બહાદુર છે. શમશાદના જીવન ઉપરથી પ્રેરણા લઇ સલમાન પણ હિંમત દાખવે છે. વાર્તાનાયક સલમાન અને વાર્તાનાયિકા શમશાદના જીવનનું છેલ્લું ફરમાન મોલવીજી કરે છે. એ ઘટના દ્વારા વાર્તાનો સુખદ અંત આવે છે. તે ઘટનાથી શીર્ષક યથાર્થ થાય છે.
‘દાદો કેમ ઊઠતો નથી’ એ વાર્તામાં વાર્તાકારે વિશિષ્ટ પ્રાદેશિક બોલીનો પ્રયોગ કર્યો છે. આ વાર્તામાં દાદાને અકસ્માત થાય છે. તે ઘટનાની આસપાસ કથાવસ્તુ ગૂંથાયું છે. આપણી શાસન વ્યવસ્થાનો કૂટ પ્રશ્ન અહીં પ્રસ્તુત થયો છે. કોઇપણ જગ્યાએ અકસ્માત થાય ત્યારે પહેલાં પોલીસ પંચનામું કરે છે. પછી તે ઘાયલ વ્યક્તિને દવાખાને ખસેડાય ચે. તે બાબત પર ધ્યાન દોર્યું છે. જે આપણા દેશની વ્યવસ્થાની નબળાઇઓ છતી કરતી વાર્તા છે. ‘ભાઇચારો’ એ વાર્તામાં ગુજરાતમાં થયેલ ગોધરા હત્યાકાંડ પછીનું જે વાતાવરણ ખડું થયું હતું તે આલેખાયું છે. નાના-મોટાં શહેરોમાં અજંપાભરી સ્થિતિ વર્ણાવાઇ છે. આ વાર્તામાં બે કોમના લોકો વચ્ચેનો પ્રેમ, આદર અને ભાઇચારો કેટલો છે તે અહીં જોવા મળે છે. આ ઉપરાંત આવી તનાવભરી સ્થિતિમાં પોલીસ કર્મચારીઓની ભૂમિકા પ્રસંશનીય બની રહે છે. આ વાર્તામાં સર્જકનો હેતુ દેશમાં જે ધાર્મિક વૈયમનસ્ય પ્રગટ્યું છે તે પ્રશ્નો ઇંગિત કરીને શાંતિ સ્થાપવાનો જણાય છે.
‘વેદિયો’ વાર્તામાં મધ્યમ વર્ગની મુસીબતોને કારણે નવપરિણિત યુગલનું જીવન ખંડિત થાય છે. આ વાર્તામાં નાયક વાદિયાની જેમ વર્તન કરે છે. માટે તેના લગ્નજીવનમાં તિરાડ પડી છે. વાર્તાનાયિકાનું પાત્ર આધુનિક નારીનું પ્રતિબિંબ ઝીલતું જણાય છે. વાર્તાનાયિક મુક્ત વિચારસરણી ધરાવે છે. સમગ્ર વાર્તાનું વિષયવસ્તુ વાર્તાનાયિકા ઘર છોડીને જાય છે. તેની આસપાસ વિસ્તાર પામે છે. આ વાર્તામાં પરંપરાગત અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ દેખાય છે. ‘ઘરની પ્રેમલીલા’ વાર્તામાં એક સ્ત્રીની લાચાર સ્થિતિનું બયાન છે. આ વાર્તામાં વડીલ ગૃહોમાં ચાલી રહેલા ટ્રસ્ટીઓની ઇજારાશાહી તરફ અંગૂલિનિર્દેશ થયો છે. સમાજમાં સેવાને નામે ચાલતા શોષણ તરફ આ વાર્તા આંગળી ચિંધે છે. ‘માબાપ અને બાળકો’ એ વાર્તામાં એક હર્યોભર્યો, પરિવાર વેરવિખેર થઇ ગયો છે. તેમાં કોણ જવાબદાર છે. પુરુષ અને સ્ત્રી વચ્ચેની દૂરી અને એકલતા તમને ક્યાં લઇ જાય છે તે અહીં નિર્દેશાય છે. એક પુરુષનો પરસ્ત્રી પ્રત્યેનો ભાવ સુખી દામ્પત્યજીવનમાં તિરાડ પાડી દે છે. આ વાર્તામાં વાસંતીની સહિષ્ણુતા અને અનુરાગની વાસ્તવથી દૂર ભાગવાની વૃત્તિ જણાય છે. આ દંપતિના બે બાળકો માતા-પિતા વચ્ચે પડેલી વૈચિરક ભૂમિકાની ખાઇને પુરવાનો પ્રયત્ન કરે છે. આ વાર્તાના વસ્તુ-વિકાસમાં પાંચમું ગૌણ પાત્ર મહત્વની ભૂમિકા ભજવે છે. જેનાથી વાર્તાને વેગ મળે છે. આ વાર્તામાં દામ્પત્યજીવનનાં પ્રશ્નો સુંદર રીતે ગૂંથાયા છે.
એક વિલક્ષણ ક્ષણ એ વાર્તામાં વાર્તાનાયક તેમની ઓફિસની છોકરી કમલિનીનું આકર્ષણ અનુભવે છે. અને તેને વ્યક્ત પણ કરે છે. આ વાર્તામાં આજના આધુનિક સમયમાં સ્ત્રીઓની સાથે થતા આવા વ્યવહારોનો નિર્દેશ થયો છે. વાર્તાકારની અદભૂત વર્ણનશૈલી કાવ્યાત્મક રૂપમાં વર્ણવાઇ છે. આ વાર્તામાં નોકરી કરતી સ્ત્રીઓને પુરુષ વર્ગ તરફથી વેઠવા પડતાં શોષણનો નિર્દેશ થયો છે.
‘અનોખું તીર્થસ્થાન’ વાર્તામાં વાર્તાનાયક ચીનુ અને ઘેલછા છે. ચીનુને વિદેશ અભ્યાસ દરમ્યાન મિસ્ટર બાકરાથ બાકરાથના પરિવારના સભ્ય તરીકે રહેતો હતો તે સમયની યાદો તાજી થાય છે. વાર્તાનાયક ફરીથી વોશિંગ્ટન જાય છે ત્યારે સુધા પણ હોય છે. સુધાને લઇને મિસ્ટર બાકરાથના ઘરે જાય છે. મિસ્ટર બાકરોથના જીવનનો ખાલીપો આ દંપતિ દ્વારા આનંદમાં પરિણમે છે. વાર્તાનાયક જઇ ચડે છે અને તેમને નવો જ અનુભવો થાય છે. આ વાર્તામાં વાર્તાકારે મિસ્ટર બાકરોથ અને મિસિસ બાકરાથના વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો છે. તો સાથસાથ તેમના સંતાનોની વ્યક્તિગત લાક્ષણિક્તાઓનો પણ પરિચય થાય છે. જે આજે દુનિયામાં હયાત નથી. ‘ભાયડા ગણવા !’ એ વાર્તામાં સમાજમાં વ્યાપેલી દેરાણી-જેઠાણી વચ્ચેની રોજરોજની રામાયણ ઘર માટે કેવી મુસીબત છે અને આખી બાબત અંધશ્રદ્ધા તરફ કઇ રીતે જાય છે તેનું સુંદર નિરૂપણ થયેલું છે. લેખકે કુટુંબજીવનના પ્રશ્નો વણી લઇને અંધશ્રદ્ધાની તરફ સમસ્યા નિર્દેશ કર્યો છે. ‘એચ-વીઝાનું છટકું’ એ વાર્તામાં વાર્તાનાયિકા મંદાની દર્દભરી કહાની છે. આ વાર્તામાં મંદાના લગ્ન જીવનમાં પડેલી મુશ્કેલીઓ અને અમેરિકામાં લગ્નજીવન કઇ રીતે સુખેથી જીવી શકાય તે માટેના પ્રયત્નો જણાય છે. વીઝાની અટપટી વાતો અને અમેરિકાનું રોજિંદુ જીવન કેવું છે તે બાબત અહીં મંદાના મુખે ફ્લેશબેકમાં કહેવાયેલી વેદનાભરી કહાની છે. આ વાર્તામાં એક પત્ની પોતાના પતિને સુખી કરવા માટે કેટલી હદ સુધી સહન કરે છે. તે બાબત ધ્યાનાકર્ષણ છે. આ વાર્તામાં અમેરિકા તરફનું આંધળું આકર્ષણ ત્યાંના કલ્ચરના પ્રભાવથી કેટલીયે સ્ત્રીઓની જિંદગીમાં આવતી સમસ્યાઓ તરફ મંદાના પાત્રતી પ્રકાશ ફેંકાયો છે.
‘વનવગડાનો માણસ’ એ વાર્તામાં ઝીણાભાઇનું પાત્ર એના જીવન દરમ્યાન પોતાના નિખાલસ અને નિર્મળ સ્વભાવની છાપ છોડીને વનવગડાનો માણસ થઇને ચાલ્યો જાય છે. આ વાર્તામાં મધ્યમવર્ગ અને અશિક્ષિત સમાજની રૂઢિઓનાં દર્શન થાય છે. મધ્યમવર્ગીય સમાજ રૂઢિ અને પરંપરામાં પિસાઇને જીવે છે તે વાત રજૂ થાય છે.
‘નેણમાં નેહ હોય તો...!’ વાર્તામાં રાજેશ અને શીલાના લગ્નજીવમાં તેમની બાળકી વિભૂતિ મિલનના સેતુરૂપી બને છે. તેની વાત નાયક રાજેશે શીલા સાથે છૂટાછેડા લીધા છે. રાજેશ એકભીલ કન્યા નબી સાથે બીજા લગ્ન કરે છે. આ લગ્ન શીલા જુએ છે. ત્યારે તેને રાજેશને જે બીક હતી તે અહીં નજરે નથી પડતી. નબી રાજેશની વાત કરે છે અને કહે છે કે નેણમાં નેહ હોય એટલે ઘણું છે. આ વાક્યમાં ઘણું કહેવાઇ ગયું છે. આ વાર્તામાં શિક્ષિત અને અભણ વચ્ચેનો ભેદ દર્શાવાયો છે. નાયિકા શીલાના છૂટાછેડાનું કારણ રાજેશનું વર્તન અને તેનો ડર હતો. આ વાર્તામાં પણ દામ્પત્યજીવનની સમસ્યા નજરે પડે છે.
આમ, આ સંગ્રહની વાર્તાઓ જીવનની આસપાસ ગૂંથાયેલ છે. આ વાસ્તવ સાથે નિસ્બત ધરાવતી વાર્તાઓ છે. જેમાં કુટુંબ જીવન, સમાજજીવન, નારીજીવન, મધ્યમવર્ગીય પ્રશ્નો વગેરે વાર્તાનો ઘાટ પામીને સર્જક ઇવા ડેવની કલમે પ્રગટ્યો છે.


ડૉ.. ભરત ઠાકોર
આસિ. પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત 

Thursday, February 25, 2016

પરિચય



સંપર્ક સેતુ
ડૉ. ભરત ઠાકોર                                                    gb_thakor@yahoo.co.in
ગુજરાતી વિભાગ,                                                   gbthakor@gmail.com
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,                                                           www.bharatthakor.blogspot.com
ઉધના મગદલ્લા રોડ,                                                                         ભ્રમણભાષ : 9974925907
સુરત, ગુજરાત-395007
ભારત.

સ્વપરિચય

શૈક્ષણિક લાયકાત :
Ø  વિદ્યાવાચસ્પતિ (Ph.D.) ગુજરાતી, ડિસેમ્બર-2013
   નિબંધકાર ગુણવંત શાહ : એક અધ્યયન
   ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત
Ø  યુ.જી.સી. નેટ
   પરિણામ : પ્રથમ પ્રથમ પ્રયત્ને પાસ જૂન, 2004
Ø  અનુપારંગત (M. Phil.) ગુજરાતી, એપ્રિલ-2008 
   ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત
   પરિણામ : 71% (વિશેષ યોગ્યતા)
Ø  પારંગત (M.A.) ગુજરાતી, એપ્રિલ-2004
   ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત 
   પરિણામ : 63% (પ્રથમ)
Ø     શારીરિક શિક્ષણ વિશારદ (B.P.Ed.) એપ્રિલ-2002
મહાદેવ દેસાઈ શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, સાદરા, ગુજરાત
પરિણામ : 75.64% (પ્રથમ)
Ø      સ્નાતક (B.A.) ગુજરાતી, એપ્રિલ-2000
ગુજરાત વિનયન અને વિજ્ઞાન કૉલેજ,
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ગુજરાત
પરિણામ : 54% (બીજો)

Ø      એચ.એસ.સી. (ગુજરાત હાયર સેકન્ડરી ઍજ્યુકેશન બોર્ડ), માર્ચ-1997
શેઠ વી. આર. ભારતીય વિદ્યાલય, વામજ (કલોલ-મહેસાણા)
પરિણામ : 59.66% (પાસ)
Ø  એસ.એસ.સી. (ગુજરાત સેકન્ડરી ઍજ્યુકેશન બોર્ડ), માર્ચ-1995
શેઠ વી. આર. ભારતીય વિદ્યાલય, વામજ (કલોલ-મહેસાણા)
પરિણામ : 50% (પાસ)
Ø  “CCC-BAOU”  (પ્રમાણપત્ર અભ્યાસ)
ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ
પરિણામ : 75% (જુલાઈ-2006)
Ø  છંદશાસ્ત્ર (પ્રમાણપત્ર અભ્યાસ),
ગૂજરાત વિદ્યાપીઠ, સપ્ટેમ્બર, 2003
પરિણામ-પ્રથમવર્ગ

અન્ય લાયકાત :

Ø  ‘વિદ્યાવાચસ્પતિ સન્માન 2014’ નવચેતના મંડળ, ગુજરાત
Ø  ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરનો વર્ષ-2009 ભાષા, વ્યાકરણ, સંશોધનપુરસ્કાર  વર્ષ ૨૦૧૨માં
Ø  સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા વર્ષ-2009ની નવલેખક ટ્રાવેલ ગ્રાન્ટ
Ø  ડૉ.સંધ્યાબહેન બાલુભાઈ ઠાકર અનુસ્નાતક (તામ્રપત્ર) પારિતોષિક વર્ષ-2008
Ø  ગૂજરાત વિદ્યાપીઠ, કક્ષાએ એમ. ફિલ. અભ્યાસમાં એપ્રિલ-2008માં વિશેષ યોગ્યતા સાથે પ્રથમ
Ø  ગુજરાત વિદ્યાસભા સ્કોલરશિપ, 2004, એમ.. વર્ષ-2

એકેડેમિક દાયિત્વ :
    
    પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર, રાષ્ટ્રીય સેવા યોજના, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
    પ્રાદેશિક નિયામક, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. સુરત રીજનલ
    ચીફ વોર્ડન બોયઝ હોસ્ટેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ., સુરત
    કો ઓર્ડીનેટર, મધ્યસ્થ મૂલ્યાંકન, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ., સુરત
    કો ઓર્ડીનેટર, એન્ટી રેગીંગ સેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ., સુરત
    સંવાહક – સંસ્કાર સભા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
Ø    પ્રોગ્રામ ઓફિસર – રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ, ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત

સામાજિક દાયિત્વ :

Ø  મહામંત્રી – અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ગુજરાત પ્રાંત
Ø  ઉપાધ્યાક્ષ – ભારતીય વિચાર મંચ સુરત મહાનગર
Ø  રાષ્ટ્રીય કાર્યકારણી સદસ્ય – અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, દિલ્હી
Ø  પ્રાંત કાર્યકારણી સદસ્ય – ભારતીય વિચાર મંચ, ગુજરાત પ્રાંત
Ø  
   પૂર્વ ઉપાધ્યક્ષ - મહેસાણા તાલુકા ભાજપા – બક્ષીપંચ મોરચોના વર્ષ 2010ના સંગઠન પર્વ.
Ø  મહેસાણા તાલુકા ભાજપ સંગઠન 2010ના પર્વમાં કારોબારી સભ્ય તરીકે નિમણૂક
Ø  પ્રમુખ - શારદા વિકાસશીલ સેવા ટ્રસ્ટ, બોરીસણા, કલોલ.
Ø  કારોબારી સભ્ય - ગુજરાતીનો અધ્યાપક સંઘમાં વર્ષ 2010 થી કાર્યરત.
Ø  આજીવન ટ્રસ્ટી – નવચેતના મંડળ, ગુજરાત

અન્ય વિશેષ લાયકાત :
Ø  નિબંધકાર ગુણવંત શાહ : એક અધ્યયન (શોધ નિબંધ વિદ્યાવાચસ્પતિ-Ph.D.)
Ø  ગુજરાતી અને હિન્દી ભાષાના પ્રથમ માન્ય શબ્દકોશ : એક તુલનાત્મક અધ્યયન (શોધ નિબંધ એમ.ફિલ.(M.Phil.)
Ø  ચિનુ મોદીનાં પ્રતિનિધિ એકાંકીઓની પાત્રસૃષ્ટિ – એક અભ્યાસ (શોધનિબંધ એમ.એ.)
Ø  હિન્દી તીસરી પ્રમાણપત્ર – હિન્દી પ્રચાર સમિતિ, ગૂજરાત વિદ્યાપીઠ
Ø  હિન્દી અનુવાદ વિશારદનું પ્રમાણપત્ર – હિન્દી પ્રચાર સમિતિ, ગૂજરાત વિદ્યાપીઠ
Ø  યોગવિદ્યા પ્રમાણપત્ર, ગૂજરાત વિદ્યાપીઠ
Ø  ધ અમદાવાદ મિલીટરી એન્ડ રાયફલ ટ્રેનીંગ એસોશિએશન દ્વારા આયોજિત અખિલ ગુજરાત ઈન્ટર કૉલેજ રાયફલ શૂટીંગ ચેમ્પીયનશીપ સ્પર્ધામાં .22 Open Sightમાં કાસ્યચંદ્રક
Ø  એન.સી.સી.(NCC) ‘બી’ પ્રમાણપત્ર
Ø  હોકી અને કબડ્ડીમાં ગુજરાત યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠ આયોજિત આંતર યુનિવર્સિટી સ્તરની ટુર્નામેન્ટમાં 4 વખત પ્રતિનિધિત્વ કર્યું.
Ø  પ્રાચીન હસ્તપ્રતવિદ્યા પ્રમાણપત્ર, એલ. ડી. ઇન્ડોલોજી ઇન્સ્ટીટયુટ, અમદાવાદ

કોમ્પ્યુટર જાણકારી :
Ø  એમ.એસ. ઓફિસ (વર્ડ, એક્સલ, પાવર પોઈન્ટ)
Ø  એડોબ ફોટોશોપ, પેજમેકર,
Ø  ઈન્ટરનેટ
Ø  એચ.ટી.એમ.એલ.

અનુભવ :
Ø  આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જાન્યુઆરી-2013 થી હાલ સુરત
Ø  ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદમાં ઑક્ટોબર-2008 થી જાન્યુઆરી 2013 ગુજરાતીના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે
Ø  મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાતી વિભાગમાં વર્ષ 2006 થી 2009 ગુજરાતીના મુલાકાતી અધ્યાપક તરીકે
Ø  અનુસ્નાતક કેન્દ્ર એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં જુલાઈ-2007 થી એપ્રિલ-2008 ગુજરાતીના મુલાકાતી અધ્યાપક તરીકે સેવા આપી.
Ø  સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં જૂન-2006 થી એપ્રિલ-2008 સુધી ગુજરાતીના મુલાકાતી અધ્યાપક તરીકે સેવા આપી.
Ø  પશ્ચિમ ક્ષેત્રીય ભારતીય ભાષા કેન્દ્ર, ડેક્કન કૉલેજ કેમ્પસ, પૂના (મહારાષ્ટ્ર)માં ગુજરાતીના અધ્યાપક તરીકે આઠ માસ અધ્યાપન કાર્યનો અનુભવ (જુલાઈ-2006 થી ફેબ્રુઆરી-2007)
Ø કોશ કાર્યાલય વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં સાર્થ ગુજરાતી જોડણીકોશની સંવર્ધિત આવૃત્તિના કાર્યમાં 01 વર્ષનો સહાયક સંશોધક તરીકેનો અનુભવ (જૂન-2004 થી ઓક્ટોબર-2005)

પ્રકાશન :
   
     1.     ભારતીય શિક્ષણ રૂપરેખા (એકાત્મ અને સમગ્ર શિક્ષણ નીતિનું સ્વરૂપ) (અનુવાદ)
       પ્રથમ આવૃત્તિ-2015
       ભારતીય શિક્ષણ મંડળ

     2.     ભૂકંપ અને ભૂકંપ (સંપાદન)
           પ્રથમ આવૃત્તિ-2015
           ફલેમિંગો પબ્લિકેશન, અમદાવાદ

       3.      એકાત્મ માનવ દર્શન (અનુવાદ)
           પ્રથમ આવૃત્તિ – 2014
           ભારતીય વિચાર મંચ
    
           4.       અધીત સૂચિ
       પ્રથમ આવૃત્તિ-2014
       ફલેમિંગો પબ્લિકેશન, અમદાવાદ

     5.      વાચનકળા અને વ્યક્તિત્વ વિકાસ (સંપાદન)
   પ્રથમ આવૃત્તિ-2014
   ફલેમિંગો પબ્લિકેશન, અમદાવાદ

     6.     ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ (સહાયક તરીકે)
    ગુજરાતીનો અધ્યાપક સંઘ,
    પ્રથમ આવૃત્તિ-2010

      7.     ગુજરાતી અને હિન્દી ભાષાના પ્રથમ માન્ય શબ્દકોશ : એક તુલનાત્મક અધ્યયન
    પ્રથમ આવૃત્તિ-2009
    ફલેમિંગો પબ્લિકેશન, અમદાવાદ

            8.       ભારતીય ભાષા જ્યોતિ ગુજરાતી ભાગ-1, 2 (ઈ-બુક્સ)
        ભારતીય ભાષા સંસ્થાન, મૈસુર, કર્ણાટક
                  
             9.       વિમર્શ (સહ-સંપાદક)
            ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ (કળાઓ અને માનવવિજ્ઞાનોના              વિવિધ આયામોનો પરિચય ઝંખતુ યુનિવર્સિટી સામયિક)
                   
            10.   જ્ઞાનગંગા (મુખપત્ર)
        સંપાદક, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ.



સૂચિકરણ :

        શબ્દસૃષ્ટિ વાર્ષિકસૂચિ-2008
શબ્દસૃષ્ટિ વાર્ષિકસૂચિ-2009
શબ્દસૃષ્ટિ વાર્ષિકસૂચિ-2010
શબ્દસૃષ્ટિ વાર્ષિકસૂચિ-2011
શબ્દસૃષ્ટિ વાર્ષિકસૂચિ-2012
શબ્દસૃષ્ટિ વાર્ષિકસૂચિ-2013

સામયિકમાં પ્રકાશિત લેખો :

1.       મોરાર સાહેબની ભજનવાણી,
સાહિત્ય પરિક્રમા
જુલાઈ-ઓગસ્ટ, 2014
2.       રસલક્ષી વિવેચના :વાગ્વિશેષ
બુદ્ધિપ્રકાશ’, જુલાઈ-2010
3.       શબ્દાનુભવ – લે. હર્ષદ ત્રિવેદી
બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી-2010
4.       વનુપાંધીની સાગરકથાઓ – સં. ધીરેન્દ્ર મહેતા
બુદ્ધિપ્રકાશ’, માર્ચ-2010
5.       લોકવાણી – લે. રાઘવજી માઘડ
બુદ્ધિપ્રકાશ’, માર્ચ-2010
6.       સ્ત્રોતસ્વિની – લે. નલિની કિશોર ત્રિવેદી
બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ-2010
7.       વ્યષ્ટિ – સમષ્ટિ – લે.નરોત્તમ પલાણ
બુદ્ધિપ્રકાશ’, જુન-2010
8.       કિનારો છું ભીનો – લે. હસમુખ મઢીવાલા
બુદ્ધિપ્રકાશ’, જુલાઈ-2010
9.       અવિસ્મરણીય મરીઝ – લે. ગુલામ અબ્બાસ
બુદ્ધિપ્રકાશ’, ઓગસ્ટ-2010
10.   આગાહી – લે. કેશુભાઈ દેસાઈ
બુદ્ધિપ્રકાશ’, ઓગસ્ટ-2010
11.   સંમુખમ્ – લે. દક્ષા વ્યાસ
બુદ્ધિપ્રકાશ’, ઓક્ટોબર-2010
12.   લઈ ખિસ્સામાં તડકો – લે. મનોજ શુક્લ
બુદ્ધિપ્રકાશ’, ઓક્ટોબર-2010
13.   મધુકાન્ત કલ્પિત એક અફવા છે – મધુકાન્ત કલ્પિત
બુદ્ધિપ્રકાશ’, મે-2009
14.   અંગ-વ્યંગ – લે. ડૉ. કિરીટ વૈદ્ય
બુદ્ધિપ્રકાશ’, ઓગસ્ટ-2009
15.   ટાઈમ પ્લીઝ ટેક એ લાફિંગ બ્રેક – લે. ડૉ. કિરીટ વૈદ્ય
બુદ્ધિપ્રકાશ’, ઓક્ટોબર-2009
16.   ઊર્મિની ઈમારત – લે. ‘રાઝ’ નવસારવી
બુદ્ધિપ્રકાશ’, ઓગસ્ટ-2009
17.   હાસ્યલોક – લે. રમેશ પટેલ
બુદ્ધિપ્રકાશ’, ઓક્ટોબર-2009
18.   શબ્દનું સાત ભવનું લેણું છે – સં. રવીન્દ્ર પારેખ
બુદ્ધિપ્રકાશ’, નવેમ્બર-2009
19.   ગુજરાતી કવયિત્રીઓનાં કાવ્યોનું ઐતિહાસિક સંપાદન
બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ-2009
20.   સ્વપ્નસેવી પુરુષની પુરુષાર્થકથા
બુદ્ધિપ્રકાશ’, ડિસેમ્બર-2008
21.   આપણાં વર્ષાકાવ્યો ડૉ.હર્ષદેવ માધવ
બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી-2008
22.   ઓપિનિયન તંત્રી. વિપુલ કલ્યાણી
બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી-2008
23.   શૈશવથી સંધ્યા સુધી લે. કમલા પરીખ
બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી-2008
24.   શ્વાસની એકલતા લે. ચંદ્રકાન્ત બક્ષી
બુદ્ધિપ્રકાશ’, ફેબ્રુઆરી-2008
25.   હાસ્યમ્ તીર્યકમ્ લે. ડૉ. હરબન્સ પટેલ
બુદ્ધિપ્રકાશ’, ફેબ્રુઆરી-2008
26.   ગઝલની ગલીમાં લે. ઉશનસ્
બુદ્ધિપ્રકાશ’, માર્ચ-2008
27.   બોરસલ્લીની પાનખર લે. સુધા મૂર્તિ, અનુ. સોનલ મોદી
બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ-2008
28.   કોઈ બીજું એક લે. હરેશ તથાગત
બુદ્ધિપ્રકાશ’, મે-2008
29.   હું અને લે. પ્રફુલ્લ રાવલ
બુદ્ધિપ્રકાશ’, મે-2008
30.   લેખન અને પત્રકારત્વ લે. ફાધર વર્ગીસ પોલ
બુદ્ધિપ્રકાશ’, જૂન-2008
31.   કોલાહલ લે. મોહન પરમાર
બુદ્ધિપ્રકાશ’, જુલાઈ-2008
32.   ત્યાં મારું ઘર હતું લે. વીનેશ અંતાણી
બુદ્ધિપ્રકાશ’, ઓગસ્ટ-2008
33.   પાનખરમાં વસંત લે. ડૉ. પ્રદિપ પંડ્યા
બુદ્ધિપ્રકાશ’, ઓગસ્ટ-2008
34.   સૂર્ય-ચંદ્રની સાખે લે. લાલજી કાનપરિયા
બુદ્ધિપ્રકાશ’, સપ્ટેમ્બર-2008
35.   ભગવાનની  ટપાલ લે. ગુણવંત શાહ
બુદ્ધિપ્રકાશ’, નવેમ્બર-2008
36.   પાન ખરે છે ત્યારે લે. રમેશ શાહ
બુદ્ધિપ્રકાશ’, નવેમ્બર-2008
37.   ગુજરાતના સર્જકોનું પ્રાથમિક શિક્ષણ – લે. દર્શના ધોળકિયા
ગરવું ગૂર્જર સાહિત્ય’, એપ્રિલ-2008
38.   અમર હાસ્યનિબંધો - સં. વિનોદ ભટ્ટ
બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ-2007
39.   જીવનસંગીત, લે. ફાધર વર્ગીસ પોલ
બુદ્ધિપ્રકાશ’, મે-2007
40.   કલધ્વનિ - લે. ચિન્મય જાની
બુદ્ધિપ્રકાશ’, જૂન-2007
41.   અનાયાસ લે. પન્ના અધ્વર્યુ
બુદ્ધિપ્રકાશ’, જૂન-2007
42.   ચીસ લે. ભી. . વણકર
બુદ્ધિપ્રકાશ’, જુલાઈ-2007
43.   માણકી લે. બી. કેશરશિવમ્
બુદ્ધિપ્રકાશ’, ઓગસ્ટ-2007
44.   આંખ ઢાળી હશે લે. ચંદુ મહેસાનવી
બુદ્ધિપ્રકાશ’, ઓગસ્ટ-2007
45.   તમે જ તમારું અજવાળું લે. સુધા મૂર્તિ, અનુ. સોનલ મોદી
બુદ્ધિપ્રકાશ’, સપ્ટેમ્બર-2007
46.   અવલોકન લે. ભારતી ભટ્ટ
બુદ્ધિપ્રકાશ’, ઑક્ટોબર-2007
47.   અવઢવ લે. વિજય રાજ્યગુરુ
બુદ્ધિપ્રકાશ’, નવેમ્બર-2007
48.   ગુજરાતી સાહિત્યનો જ્ઞાનસંવાદ
બુદ્ધિપ્રકાશ’, નવેમ્બર-2007
49.   પ્રતિબિંબ લે. તલકશ પરમાર
બુદ્ધિપ્રકાશ’, ડિસેમ્બર-2007
50.   તડકાની છાલક લે. યાકબ પરમાર
બુદ્ધિપ્રકાશ’, ડિસેમ્બર-2007
51.   સાર્થ ગુજરાતી જોડણીકોશ એક અધ્યયન
વિશ્વભારતી પત્રિકાશાંતિ નિકેતન, એપ્રિલ-2003, માર્ચ-2004



સેમિનાર, વર્કશોપ, કોન્ફરન્સ :

Ø  અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા બાંસવાડા (રાજસ્થાન) ખાતે તા. 14, 15 જૂન-2014ના રોજ આયોજિત રાષ્ટ્રીય સંગોષ્ઠિ ‘સંતો કા સાહિત્યિક અવદાન’ માં શોધ આલેખ રજૂ.
Ø  મધ્ય ભારતીય હિન્દી સાહિત્ય સભા, ગ્વાલિયર (મ.પ્ર.) દ્વારા તા. 1, 2 માર્ચ-2014ના રોજ આયોજિત રાષ્ટ્રીય સંગોષ્ઠિ ‘સ્વાતંત્ર્યોત્તર સાહિત્યકારોનો રચના સંસાર’માં શોધ આલેખ રજૂ.
Ø  હૈદ્રાબાદ ખાતે ભારતીય ભાષા સંસ્થાન, મૈસુર દ્વારા તા. 9, 10 ફેબ્રુઆરી-2014ના રોજ આયોજિત રાષ્ટ્રીય કાર્યશાળા રીસોર્સ પર્સન તરીકે.
Ø  અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ગુજરાત પ્રાન્ત અને ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ તથા ડૉ. સુભાષ મહિલા આર્ટ્સ કૉલેજ, જુનાગઢ દ્વારા તા.3 ફેબ્રુઆરી-2014ના રોજ આયોજિત ‘ભારતીય લોક સંત અને સંત સંસ્કૃતિ’ રાષ્ટ્રીય પરિસંવાદના વક્તા તરીકે.
Ø  સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા તા. 20-22 ડિસેમ્બર-2013ના રોજ આયોજિત ‘રાજેન્દ્ર શાહ શતાબ્દી મહોત્સવ પરિસંવાદ યાત્રા’માં ચર્ચક તરીકે.
Ø  ગુજરાતીનો અધ્યાપક સંઘ દ્વારા તા. 20મી ઓક્ટોબર-2013ના રોજ ‘અધ્યાપક સજ્જતા શિબિર’માં ચર્ચક તરીકે.
Ø  ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા. 13, 14 જુલાઈ-2013ના રોજ આયોજિત ‘પારિભાષિક અને ચાવીરૂપ સંજ્ઞાઓ’ એ પરિસંવાદમાં ચર્ચક તરીકે.
Ø  ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે તા. 16 માર્ચ-2013ના રોજ દક્ષિણ ગુજરાત ગુજરાતીનો અધ્યાપક સંઘના છઠ્ઠા વાર્ષિક અધિવેશનમાં સહભાગી તરીકે.
Ø  ગુજરાતી વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા ખાતે તા. 9, 10 ફેબ્રુઆરી-2013ના રોજ ગુજરાતીનો અધ્યાપક સંઘનું 62મું અધિવેશન સહભાગી તરીકે.
Ø  ગુજરાતી ભાષા-સાહિત્ય વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા તા. 28 થી 30 માર્ચ-2012ના દરમ્યાન યોજાયેલ ‘રાષ્ટ્રીય અનુવાદ કાર્યશાળા’માં રીસોર્સ પર્સન તરીકે.
Ø  શાંતિ સંશોધન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને વિમેન્સ ઈન્ટરનેશનલ લીગ ફોર પીસ એન્ડ ફ્રિડક (WILPF) ગુજરાત શાખાના સંયુક્ત ઉપક્રમે તા. 2 માર્ચ, 2012ના રોજ યોજાયેલ રાજ્યકક્ષાનો પરિસંવાદ – ‘ગુજરાતની મહિલાઓની સ્થિતિ : દશા અને દિશા’માં ‘ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજની મહિલાઓની સામાજિક સ્થિતિ’ એ વિશે શોધપાત્ર રજૂ.
Ø  મ. દે. ગ્રામસેવા મહાવિદ્યાલય, રાંધેજા દ્વારા તા.17,18 ફેબ્રુઆરી-2012. યોજાયેલ ‘ગુજરાતી સાહિત્યમાં ગ્રામચેતના’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદમાં ‘વળામણાં’માંથી પ્રગટતી ગ્રામચેતના વિષય પર શોધપત્ર રજૂ.
Ø  ગુજરાતી વિભાગ, એન.એસ.પટેલ આર્ટ્સ કોલેજ આણંદ ખાતે તા.29,30 જાન્યુઆરી-2012ના રોજ ગુજરાતીનો અધ્યાપક સંઘનું 61મું અધિવેશનમાં ભારતીય ભાષાની પ્રથમ નવલકથા ‘યમુના પર્યટન’ વિશે વક્તવ્ય.
Ø  ભારતીય ભાષા સંસ્થાન, મૈસુર અને ગુજરાતી ભાષા-સાહિત્ય વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે તા.17, 18 નવેમ્બર-2011ના રોજ યોજાયેલ રાષ્ટ્રીય પરિસંવાદ ‘કોશવિદ્યાના નવા આયામો’ એમાં ‘ગુજરાતી અને હિન્દી ભાષાના પ્રથમ માન્ય શબ્દકોશ એક તુલનાત્મક અભ્યાસ’ એ વિશે વક્તવ્ય.
Ø  ગુજરાતીનો અધ્યાપક સંઘના તા. 06, 07 ફેબ્રુઆરી-2011ના ખેડબ્રહ્મા ખાતે યોજાયેલ 60 મા અધિવેશનમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
Ø  ગુજરાતી ભાષા-સાહિત્ય વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં તા.07,08,09 ડિસેમ્બર-2009ના રોજ યુ.જી.સી. પ્રેરિત ‘સાહિત્યમાં નારીવાદ’ વિષયક પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
Ø  પશ્ચિમ ક્ષેત્રિય ભારતીય ભાષા કેન્દ્ર, પુના (મહારાષ્ટ્ર) અને ગુજરાતી વિભાગ S.N.D.T. મહિલા યુનિવર્સિટી, મુંબઈના સંયુક્ત ઉપક્રમે તા.22, 23 જાન્યુઆરી, 2009ના રોજ ‘લૅન્ગવેજ ઈન માસ મિડિયા’ પર રાષ્ટ્રીય પરિસંવાદમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
Ø  ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે, તા.18 જાન્યુઆરી, 2009ના રોજ ‘કોશ સાહિત્ય વિભાવના અને પ્રકારો’, વિષય પર એક દિવસીય પરિસંવાદમાં ભાગ લીધો હતો.
Ø  ‘ગુજરાતી નિબંધના દોઢસો વર્ષ’ એ વિષય પર તા.09, 10 ફેબ્રુઆરી-2008ના રોજ સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા યોજાયેલ પરિસંવાદમાં સક્રિયપણે ભાગ લીધો.
Ø  ગુજરાત વિભાગ, ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ, 2008ના રોજ ‘ભાષાભિગમ ઔર સાહિત્ય’ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં સક્રિયપણે ભાગ લીધો.
Ø  ગુજરાતીનો અધ્યાપક સંઘ અને શ્રી એમ. ડી. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, મલાડ, મુંબઈના સંયુક્ત ઉપક્રમે તા. 02,03 ફેબ્રુઆરી, 2008ના રોજ યોજાયેલ ગુજરાતીનો અધ્યાપક સંઘના 57મા અધિવેશનની અર્ધ્ય બેઠકમાં ‘ભોળાભાઈ પટેલની રસલક્ષી વિવેચના : વાગ્યિશેષ’ વિષય પર વક્તવ્ય આપ્યું.
Ø  ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ અને ભારતીય સમાજવિજ્ઞાન પરિષદ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે તા. 20-21 ડિસેમ્બર, 2008ના યોજાયેલ ‘ભારતીય પરિપ્રેક્ષ્યમાં સમાજવિજ્ઞાન’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
Ø  ક. લા. સ્વાધ્યાય મંદિર ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તા. 04-05 ઓગસ્ટ, 2007 દરમિયાન ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધકો-સંપાદકો : ઓગણીસમી સદી’ એ વિષય પર યોજાયેલા પરિસંવાદમાં ચર્ચક તરીકે ભાગ લીધો હતો.
Ø  ક. લા. સ્વાધ્યાય મંદિર ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા તા. 23-24, ફેબ્રુઆરી, 2008 દરમિયાન ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધકો-સંપાદકો’ વિષય પર યોજાયેલા પરિસંવાદમાં ભાગ લીધો હતો.
Ø  ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ અને શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સાયલાના સંયુક્ત ઉપક્રમે તા. 03-04 નવેમ્બર, 2007ના રોજ યોજાયેલ સાહિત્યસત્રમાં ચર્ચક તરીકે ભાગ લીધો હતો.
Ø  પશ્ચિમ ક્ષેત્રીય ભારતીય ભાષા કેન્દ્ર, પુના તથા ગુજરાતી ભાષા સાહિત્ય વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા.19-21 સપ્ટેમ્બર, 2005ના રોજ યોજાયેલ ત્રિદિવસીય રાષ્ટ્રીય અનુવાદ કાર્યશાળામાં રીસોર્સ પર્સન તરીકે ભાગ લીધો હતો.
Ø  આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ અને નવિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પિરિચ્યુઅલ સાયકોલોજી, અમદાવાદ દ્વારા તા.09-13 ફેબ્રુઆરી, 2004 દરમિયાન ‘પ્રાચ્ય હસ્તપ્રત વિદ્યા-કાર્યશાળા’માં સક્રિય ભાગ લીધો હતો.
Ø  ભારત સરકારના રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા NSS પ્રાદેશિક કેન્દ્ર, અમદાવાદ દ્વારા World Aids day-2003ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં સહભાગીતા.
Ø  ગુજરાત સ્ટેટ માઉન્ટ્રેનીંગ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તા.04 થી 10 ઓક્ટોબર, 2001 દરમિયાન જુનાગઢ ખાતે યોજાયેલ ‘બેઝીક કોર્ષ ઈન રોક કલાઈમીંગ’ તાલીમમાં A ગ્રેડ પ્રાપ્ત કરેલ.
Ø  ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ અને ગુજરાતીનો અધ્યાપક સંઘના સંયુક્ત ઉપક્રમે તા.03-02-2007ના રોજ અધ્યાપક સજ્જતા શિબિરમાં ચર્ચક તરીકે સક્રિય પણે ભાગ લીધો.
Ø  યોગવિદ્યા વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત તા.16 અને 17 માર્ચ 2007ના ‘Relevance of Yoga in Twenty Century’ એ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદમાં ભાગ લીધો.
Ø  તા.7-11 ફેબ્રુઆરી, 2006 લિગ્વીસ્ટીક્સ ડિપાર્ટમેન્ટ, એમ.એસ.યુનિવર્સિટી વડોદરા તથા ભારતીય ભાષા સંસ્થાન, મૈસુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘‘ગુજરાતી મોર્ફોલોજિકલ એનાલિસીસ’’ વિષય પર રાષ્ટ્રીય કાર્યશાળામાં ભાગ લીધો.
Ø  તા.8-9 ડિસેમ્બર 2006ના રોજ યુ.જી.સી. તથા સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ‘‘બદલાતા જતા અમદાવાદની તાસીર 19મી અને 20મી સદી’’ એ વિષયક રાષ્ટ્રીય પરિસંવાદમાં ચર્ચક તરીકે ભાગ લીધો.
Ø  તા.05-20 ડિસેમ્બર, 2005 દરમ્યાન પશ્ચિમ ક્ષેત્રિય ભારતીય ભાષા કેન્દ્ર, પૂના (મહારાષ્ટ્ર) મુકામે યોજાયેલ ‘‘હિન્દી-અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ’’ વિષય પરની કાર્યશાળામાં ગુજરાતી ભાષાના રીસોર્સ પર્સન તરીકે ભાગ લીધો હતો.
Ø  તા. 23-25 ફેબ્રુઆરી, 2003 આંતરરાષ્ટ્રીય યુવક મહોત્સવ, જોધપુર (રાજસ્થાન) ખાતે યોજાયેલ ડીબેટ સ્પર્ધામાં ભાગ લીધેલ છે.
Ø  ગુજરાતી વિભાગ, મ. દે. સમાજસેવા મહાવિદ્યાલય આયોજિત વાચનશિબિરમાં સક્રિયપણે ભાગ લીધેલ.
Ø  દર્શક ફાઉન્ડેશન અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વાચનશિબિરમાં સક્રિયપણે ભાગ લીધેલ.
Ø  ભારતીય ભાષા સંસ્થાન, મૈસૂર દ્વારા આયોજિત રાષ્ટ્રીય કાર્યશાળામાં ‘ભારતીય ભાષા જ્યોતિ - ગુજરાતી’ ભાગ-1 અને 2 એ પુસ્તકના રચના કાર્યમાં ગુજરાતી વિષયના રીસોર્સપર્સન તરીકે.
Ø  તા. 28 એપ્રિલ-2005 થી 12 મી મે-2005, ભારતીય ભાષા સંસ્થાન મૈસૂર દ્વારા પશ્ચિમ ક્ષેત્રિય ભારતીય ભાષા કેન્દ્ર, પૂના (મહારાષ્ટ્ર) ખાતે ‘હિન્દી-અંગ્રેજી-ગુજરાતી-શબ્દકોશ’ની કાર્યશાળામાં ગુજરાતી વિષયના રીસોર્સ પર્સન તરીકે.
Ø  દ્વિતીય આંતરરાષ્ટ્રીય લેક્સિકોગ્રાફી ઓફ ઇન્ડિયાના પરિસંવાદમાં મદ્રાસ યુનિવર્સિટી, મદ્રાસ તમિલ વિભાગમાં ‘સાર્થ ગુજરાતી જોડણી કોશ : એક અભ્યાસ’ એ વિષય પર શોધ આલેખ રજૂ.
Ø  ગુજરાતી વિભાગ અને પશ્ચિમ ક્ષેત્રિય ભારતીય ભાષા કેન્દ્ર, પૂના (મહારાષ્ટ્ર)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ અનુવાદ કાર્યશાળામાં સક્રીયપણે ભાગ લીધો હતો.
Ø  પશ્ચિમ ક્ષેત્રિય ભારતીય ભાષા કેન્દ્ર, પુના (મહારાષ્ટ્ર) દ્વારા આયોજિત જ્ઞાનપીઠ પુરસ્કૃત ગુજરાતી-મરાઠી સર્જકોના સર્જનના વિષય પર અનુવાદ કાર્યશાળા તા. 06-11 ઓગસ્ટ-2007 દરમ્યાન યોજાયેલ તેમાં સક્રિયપણે ભાગ લીધેલ.

ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ અખબાર ગુજરાતીમિત્રમાં પ્રકાશિત લેખો :

1.       ગુજરાતી ભાષાની પ્રથમ ડિઝિટલ ડિક્ષનરી
2.       કર્ણની મનોવેદનાને આજના યુવકોની સ્થિતિનો ચિતાર.
3.       2005નું યાદગાર વાચન
4.       સ્વ. બકુલ ત્રિપાઠીના યાદગાર હાસ્યનિબંધો
5.       બાળ શબ્દકોશ : ગુજરાતી કોશ પ્રવૃત્તિમાં એક અનોખું ઉમેરણ.
6.       દવાખાનાની અને ઘરની યાત્રામાં માનવજીવનનું દર્શન પણ ‘‘છલોછલ’’
7.       સફળ જીવનના આધારો : જીવન મૂલ્યો વિશે સરળ ચર્ચા.
8.       ‘ચમત્કાર કેમ થાય છે’ : ચમત્કારિક ઘટનાને વૈજ્ઞાનિક તેમજ અન્ય દૃષ્ટિએ સમજવાના પ્રયાસો
9.       વિચાર કરવા પ્રેરતું પુસ્તક : ભિવંડી હુલ્લડ અને શાંતિના પ્રયોગ
10.   ‘સ્મૃતિ કળશ’ એ હિન્દી સાહિત્યના સૌથી વધુ લોકપ્રિય લેખિકા શિવાનીની સાહિત્યયાત્રામાં એક મહત્ત્વનું ઉમેરણ.
11.   ચાલો, આ રીતે વિચારીએ
12.   સાંસ્કૃતિક અને ભૌગોલિક સ્થિતિનો ચિતાર એટલે ‘મહાનગર’
13.   કચ્છના લોકજીવનની આરસી
14.   વાસ્તવાભિમુખ વાર્તાવિશ્વ
15.   આસ્થા અને અસ્મિતાની ગાથા
16.   વિસાવાડા ગામનો સાંસ્કૃતિક વારસો
17.   પરદેશના ગુજરાતી પરિવેશનો પરિચય આપતી પુસ્તિકા બ્રિટન-ભારત
18.   મનની મનનયાત્રા કરાવતું પુસ્તક
19.   નર્મ-મર્મ હાસ્યની છોળો ઉડાડતી નિબંધિકાઓ
20.   ‘ગાંધીના ચશ્મા’ મહાત્મા ગાંધીના પ્રદાનને તટસ્થતાથી નવી પેઢીની નજરે મૂલવવાનો પ્રયત્ન

પરામર્શન :

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચાલતા લાયબ્રેરી એન્ડ ઈન્ફર્મેશન સાયન્સ કોર્ષની અભ્યાસસામગ્રીના પાઠ્યપુસ્તકોના ભાષાપરામર્શનની વિગત


ક્રમ
પ્રશ્નપત્ર
પ્રશ્નપત્રનું નામ
પેપરનો ક્રમ અને વિષય
ક્રમ
વિષય
1
BLIS-01
ગ્રંથાલય અને સમાજ
1
ગ્રંથાલયોનો વિકાસ અને સમાજમાં તેની ભૂમિકા



2
વિભિન્ન પ્રકારના ગ્રંથાલયો અને તેમનાં કાર્યો



3
ગ્રંથાલય અધિનિયમ
2
BLIS-02
ગ્રંથાલય સંચાલન
1
ગ્રંથાલય સંચાલનના સિદ્ધાંતો



2
માહિતી સ્ત્રોતોનો વિકાસ



3
ગ્રંથાલયનો ઉપયોગ અને જાળવણી



4
ગ્રંથાલય નાણાં અને અંદાજપત્ર
3
BLIS-03
ગ્રંથાલય વર્ગીકરણ સિદ્ધાંત
2
ગ્રંથાલય વર્ગીકરણ : સિદ્ધાંત અને વિકાસ



3
ગ્રંથાલય વર્ગીકરણના અભિગમ
4
BLIS-03P
ગ્રંથાલય વર્ગીકરણ પ્રયોગ
1
ડ્યૂઈડેસિમલ કલાસિફિકેશન (19મી આવૃત્તિ) ભાગ-1



2
ડ્યૂઈડેસિમલ કલાસિફિકેશન (19મી આવૃત્તિ) ભાગ-2



3
કોલન કલાસિફિકેશન (6ઠ્ઠી આવૃત્તિ) પ્રારંભ
5
BLIS-04
ગ્રંથાલય સૂચિકરણ સિદ્ધાંત
1
ગ્રંથાલય સૂચિનો ઈતિહાસ, હેતુ અને પ્રકારો



2
સૂચિ સંલેખનોનું માળખું



4
વિષય નિર્દેશીકરણ, શબ્દભંડોળ નિયંત્રણ અને સૂચિકરણમાં અદ્યતન વિકાસ
6
BLIS-04P
ગ્રંથાલય સૂચિકરણ પ્રયોગ
1
AACR-2R ભાગ-1



4
કલાસિફાઈડ કેટલોગ કોડ ભાગ-2
7
BLIS-05
સંદર્ભ અને માહિતી સ્ત્રોત
2
સંદર્ભ સ્ત્રોતોની શ્રેણીઓ ભાગ-1
8
BLIS-06
માહિતી સેવાઓ
2
માહિતી સેવાઓ અને રીતો
9
BLIS-07
માહિતી ટેકનોલોજી : મૂળતત્ત્વો
3
ગ્રંથાલય સ્વચાલન

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચાલતા NGO MANAGEMENT અભ્યાસક્રમની અભ્યાસસામગ્રીના પાઠ્યપુસ્તકોના  ભાષાપરામર્શનની વિગત

ક્રમ
પેપર નંબર
વિષય
પેપરનો ક્રમ અને વિષય
ક્રમ
વિષય
1
BMS-01
NGO સંચાલન પરિચય
1
બિનસરકારી સંસ્થાનો ખ્યાલ અને તેના કાર્યો



2
વ્યૂહરચના અને આયોજન



3
પ્રત્યાયન કૌશલ્ય
2
BMS-02
વ્યવસ્થાપનના કાર્યો
1
સ્વૈચ્છિક સંસ્થાઓનો વહિવટ



2
બજાર વ્યવસ્થા



4
સંશાધનોની ગતિશીલતા
3
BMS-03
સ્વાસ્થ્ય સંભાળ સંચાલન
2
સામાજિક મુદ્દાઓ




ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચાલતા આંગણવાડી (CCAW) અભ્યાસક્રમની અભ્યાસસામગ્રીના પાઠ્યપુસ્તકોના ભાષાપરામર્શનની વિગત

ક્રમ
પેપર નંબર
વિષય
1
CCAW-03
બાળવિકાસ અને માતા-પિતા
2
CCAW-04
આંગણવાડી પ્રાયોગિક

વ્યક્તિગત પરિચય
જન્મતારીખ             :       1 ડિસેમ્બર, 1977
જાતિ                   :       પુરુષ
જ્ઞાતિ                  :       હિન્દુ ઠાકોર (બક્ષીપંચ)
વૈવાહિક દરજ્જો       :       પરણિત
રાષ્ટ્રીયતા             :       ભારતીય
ભાષાની જાણકારી     :       ગુજરાતી, હિન્દી, અંગ્રેજી
રસનું ક્ષેત્ર             :       વાંચન, લેખન, સંગીત, પ્રવાસ, તરણ, હોકી અને કબડ્ડીની રમત તથા
                                સમાજ જાગરણ દ્વારા રાષ્ટ્ર ઉત્કર્ષના કાર્યોમાં વિશેષ રુચિ


(ડૉ. ભરત ઠાકોર)